ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એ પારંપરિક ભારતીય કૃષિ પધ્ધતિ પર આધારિત છે, આ કૃષિ પધ્ધતિમાં કૃષિ ખર્ચ જેવા કે કીટનાશકો, રાસાયણિક ખાતરો, ગહન સિંચાઈની જરુરીયાત રહેતી નથી અને કોઈપણ પાકનાં ઉત્પાદન પરનો ખર્ચ અંતે ઝીરો રહે છે.
આ કૃષિ પધ્ધતિમાં ખેડાણનાં સ્થાને પાકનાં અવશેષોને જમીન પર આચ્છાદિત કરી તેનું તાપમાનનું નિયંત્રણ અને તેમાં રહેલી ભેજનું બાષ્પીભવન થતાં રોકવામાં આવે છે.
ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ જરૂરીયાત શા માટે ?
- ખેડૂતોનાં વધતાં જતાં કૃષિ ખર્ચ, કૃષિ લોન અને વધતી જતી નિર્ભરતાને ઓછી કરવા માટે.
- વધુ પડતાં રાસાયણિક ખાતરો, કીટનાશકોનાં ઉપયોગના નિયંત્રણ માટે.
ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગનાં લાભો.
- રાસાયણિક ખાતરનો વપરાશ મર્યાદિત કરીને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળશે.
- કૃષિ માટે ઇનપુટની મર્યાદિત કિંમત
- જમીનની ગુણવત્તામાં વધારો થશે
- લોનનું ભારણ ઓછું થશે.
- સ્થાનિક કૃષિમાં વિવિધતા જોવા મળશે
- પરંપરાગત જ્ઞાનને પ્રોત્સાહન મળશે.
પડકારો
- ઓછાં લાભનાં કારણે ખેડૂતો ફરીથી રાસાયણિક કૃષિ તરફ વધી રહ્યા છે.
- આ પૂર્ણપણે શૂન્ય બજેટની ખેતી નથી. વિજળી, પશુની સારસંભાળ, શ્રમિકોનો ખર્ચ શામેલ છે.
- ભારતમાં જમીનનાં વિવિધ પ્રકારો હોવાથી તેમાં રહેલા પોષક તત્વોનાં પ્રમાણ ખૂબ જ ઓછા અને અસમાન રીતે વિતરીત થયેલ છે.
(નોંધ : આર્ટીકલ પરિવર્તન યોગ્ય છે)
No comments:
Post a Comment